У нас вы можете посмотреть бесплатно ધોરણ ૭. વનસ્પતિમાં પોષણ - પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ધોરણ ૭. વનસ્પતિમાં પોષણ - પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વાહિનીઓ (vessels) નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેનાં દ્વારા પાણી અને ખનીજતત્ત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે, જેથી પોષકતત્ત્વો પર્ણ સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહે છે. તમે પ્રકરણ 7માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. પહેલી જાણવા ઇચ્છે છે કે, પણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી ને ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતાં નથી ! પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય (pigment) આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય (chlorophyll) કહે છે. તે પર્ણને સૂર્યઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે. (Photo = પ્રકાશ; Synthesis - સંશ્લેષણ). તેથી આપણે કહી શકીએ કે, હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી એ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્યઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી, સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે.